Telegram Group & Telegram Channel
📖

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જ્યારે રમઝાનનો મહિનો શરૂ થાય છે, તો જન્નતના દ્વાર ખોલી નાખવામાં આવે છે, જહન્નમના દ્વાર બંધ કરી દેવામાં આવે છે અને શૈતાનોને સાંકળ વડે બાંધી દેવામાં આવે છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 1079]

عن أبي هريرة رضي الله عنه : أن رسول الله صلى الله عليه وسلم قال: «إِذَا جَاءَ رَمَضَانُ، فُتِحَتْ أبْوَاب الجَنَّةِ، وَغُلِّقَتْ أبْوَابُ النَّارِ، وَصفِّدَتِ الشَّيَاطِينُ».
[صحيح]

📃સમજુતી:
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જ્યારે રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થતાની સાથે જ ત્રણ બાબતો પણ પ્રાપ્ત થાય છે: પહેલી: જન્નતના દરવાજા ખોલી નાખવામાં આવે છે, એક પણ દરવાજો બંધ નથી હોતો. બીજી: જહન્નમમાં દરવાજા બંધ કરી દેવામાં આવે છે અને એક પણ દરવાજો ખુલ્લો નથી રહેતો. ત્રીજી: શૈતાન તેમજ બળવાખોર જિન્નોને સાંકળ વડે બાંધી દેવામાં આવે છે, એટલા માટે રમઝાન સિવાય અન્ય મહિનામાં તે લોકો જે કરી શકતા હોય છે તે રમઝાન મહિનામાં નથી કરી શકતા. એટલા માટે આ પવિત્ર મહિનાની મહાનતા ઘણી છે, અને અમલ કરનારને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે કે તે નમાઝ, સદકા, ઝિકર, કુરઆન મજીદની તિલાવત તેમજ અન્ય નેકીના કામો વડે અનુસરણ કરે અને ગુનાહ તેમજ અવજ્ઞાથી દૂર થઈ જાય.

💡
હદીષથી મળતા ફાયદા:

1- રમઝાન મહિનાની મહત્ત્વતા.

2- આ મહિનામાં રોજદાર માટે ખુશખબર કારણકે આ પવિત્ર મહિનો ઈબાદત અને ભલાઇનો મૌસમ છે.

3- રમઝાનમાં શૈતાનોને સાંકળ વડે બાંધી દેવામાં આવે છે, ખરેખર એ વાત તરફ એક મુસ્લિમને ઈશારો કરવામાં આવે છે કે તેનાથી (નેકીના માર્ગમાં અવરોધ ઉભા કરનાર) ને દૂર કરી દેવામાં આવે છે, તેના માટે અનુસરણ છોડવા અને ગુનાહના કાર્યો કરવાનું કોઈ કારણ બાકી ન રહે.

4- ઈમામ કુર્તુબી રહિમહુલ્લાહએ કહ્યું: પૂછવામાં આવ્યું કે શૈતાનોને બાંધી દીધા હોવા છતાંય આપણે રમઝાનમાં ખૂબ અવજ્ઞા અને લોકોને ગુનાહ કરતા જોઈએ છીએ, આવું કેમ? તેનો જવાબ: તેમની પાબંદી તે લોકો માટે છે, જેઓ રોઝાની સંપૂર્ણ શરતો પુરી કરતા હોય, તેના આદાબનો ખ્યાલ કરતા હોય, અથવા તો આ વિદ્રોહ શૈતાન છે, જેમને સાંકળ વડે બાંધી દેવામાં આવે છે, દરેકે દરેક શૈતાનને નહીં, જેવું કે કેટલીક રિવાયતોમાં આ વસ્તુ જોવા મળે છે, અથવા એક વાત એવી પણ હોય કે આ મહિનામાં ગુનાહના કામ ઓછા થાય, અને આ મહિનામાં આપણે ખ્યાલ કરી શકીએ છીએ કે અન્ય મહિનાના મુકાબલામાં આ મહિનામાં ગુનાહ ઓછા થાય છે, એક વાત એ પણ કે રમઝાનમાં શેતાનોને બાંધવા પર જરૂરી નથી કે ગુનાહ અને અવજ્ઞા નહીં થાય, કારણકે પથભ્રષ્ટતાના તેના સિવાય અન્ય કારણો પણ છે, જેવું કે ખરાબ દિલ, ખરાબ ટેવો અથવા માનવીઓ માંથી કેટલાક શૈતાન જેવા લોકો.

🔗 https://hadeethenc.com/gu/browse/hadith/10107

📃
https://www.group-telegram.com/sg/HadeethEncLanguages.com/852

#الغوجاراتية
#ગુજરાતી

▫️▫️▫️



group-telegram.com/HadeethEncLanguages/852
Create:
Last Update:

📖

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જ્યારે રમઝાનનો મહિનો શરૂ થાય છે, તો જન્નતના દ્વાર ખોલી નાખવામાં આવે છે, જહન્નમના દ્વાર બંધ કરી દેવામાં આવે છે અને શૈતાનોને સાંકળ વડે બાંધી દેવામાં આવે છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 1079]

عن أبي هريرة رضي الله عنه : أن رسول الله صلى الله عليه وسلم قال: «إِذَا جَاءَ رَمَضَانُ، فُتِحَتْ أبْوَاب الجَنَّةِ، وَغُلِّقَتْ أبْوَابُ النَّارِ، وَصفِّدَتِ الشَّيَاطِينُ».
[صحيح]

📃સમજુતી:
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જ્યારે રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થતાની સાથે જ ત્રણ બાબતો પણ પ્રાપ્ત થાય છે: પહેલી: જન્નતના દરવાજા ખોલી નાખવામાં આવે છે, એક પણ દરવાજો બંધ નથી હોતો. બીજી: જહન્નમમાં દરવાજા બંધ કરી દેવામાં આવે છે અને એક પણ દરવાજો ખુલ્લો નથી રહેતો. ત્રીજી: શૈતાન તેમજ બળવાખોર જિન્નોને સાંકળ વડે બાંધી દેવામાં આવે છે, એટલા માટે રમઝાન સિવાય અન્ય મહિનામાં તે લોકો જે કરી શકતા હોય છે તે રમઝાન મહિનામાં નથી કરી શકતા. એટલા માટે આ પવિત્ર મહિનાની મહાનતા ઘણી છે, અને અમલ કરનારને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે કે તે નમાઝ, સદકા, ઝિકર, કુરઆન મજીદની તિલાવત તેમજ અન્ય નેકીના કામો વડે અનુસરણ કરે અને ગુનાહ તેમજ અવજ્ઞાથી દૂર થઈ જાય.

💡
હદીષથી મળતા ફાયદા:

1- રમઝાન મહિનાની મહત્ત્વતા.

2- આ મહિનામાં રોજદાર માટે ખુશખબર કારણકે આ પવિત્ર મહિનો ઈબાદત અને ભલાઇનો મૌસમ છે.

3- રમઝાનમાં શૈતાનોને સાંકળ વડે બાંધી દેવામાં આવે છે, ખરેખર એ વાત તરફ એક મુસ્લિમને ઈશારો કરવામાં આવે છે કે તેનાથી (નેકીના માર્ગમાં અવરોધ ઉભા કરનાર) ને દૂર કરી દેવામાં આવે છે, તેના માટે અનુસરણ છોડવા અને ગુનાહના કાર્યો કરવાનું કોઈ કારણ બાકી ન રહે.

4- ઈમામ કુર્તુબી રહિમહુલ્લાહએ કહ્યું: પૂછવામાં આવ્યું કે શૈતાનોને બાંધી દીધા હોવા છતાંય આપણે રમઝાનમાં ખૂબ અવજ્ઞા અને લોકોને ગુનાહ કરતા જોઈએ છીએ, આવું કેમ? તેનો જવાબ: તેમની પાબંદી તે લોકો માટે છે, જેઓ રોઝાની સંપૂર્ણ શરતો પુરી કરતા હોય, તેના આદાબનો ખ્યાલ કરતા હોય, અથવા તો આ વિદ્રોહ શૈતાન છે, જેમને સાંકળ વડે બાંધી દેવામાં આવે છે, દરેકે દરેક શૈતાનને નહીં, જેવું કે કેટલીક રિવાયતોમાં આ વસ્તુ જોવા મળે છે, અથવા એક વાત એવી પણ હોય કે આ મહિનામાં ગુનાહના કામ ઓછા થાય, અને આ મહિનામાં આપણે ખ્યાલ કરી શકીએ છીએ કે અન્ય મહિનાના મુકાબલામાં આ મહિનામાં ગુનાહ ઓછા થાય છે, એક વાત એ પણ કે રમઝાનમાં શેતાનોને બાંધવા પર જરૂરી નથી કે ગુનાહ અને અવજ્ઞા નહીં થાય, કારણકે પથભ્રષ્ટતાના તેના સિવાય અન્ય કારણો પણ છે, જેવું કે ખરાબ દિલ, ખરાબ ટેવો અથવા માનવીઓ માંથી કેટલાક શૈતાન જેવા લોકો.

🔗 https://hadeethenc.com/gu/browse/hadith/10107

📃
https://www.group-telegram.com/sg/HadeethEncLanguages.com/852

#الغوجاراتية
#ગુજરાતી

▫️▫️▫️

BY موسوعة الأحاديث النبوية




Share with your friend now:
group-telegram.com/HadeethEncLanguages/852

View MORE
Open in Telegram


Telegram | DID YOU KNOW?

Date: |

Asked about its stance on disinformation, Telegram spokesperson Remi Vaughn told AFP: "As noted by our CEO, the sheer volume of information being shared on channels makes it extremely difficult to verify, so it's important that users double-check what they read." "He has kind of an old-school cyber-libertarian world view where technology is there to set you free," Maréchal said. Overall, extreme levels of fear in the market seems to have morphed into something more resembling concern. For example, the Cboe Volatility Index fell from its 2022 peak of 36, which it hit Monday, to around 30 on Friday, a sign of easing tensions. Meanwhile, while the price of WTI crude oil slipped from Sunday’s multiyear high $130 of barrel to $109 a pop. Markets have been expecting heavy restrictions on Russian oil, some of which the U.S. has already imposed, and that would reduce the global supply and bring about even more burdensome inflation. For example, WhatsApp restricted the number of times a user could forward something, and developed automated systems that detect and flag objectionable content. The original Telegram channel has expanded into a web of accounts for different locations, including specific pages made for individual Russian cities. There's also an English-language website, which states it is owned by the people who run the Telegram channels.
from sg


Telegram موسوعة الأحاديث النبوية
FROM American